નાગરિક અધિકારપત્ર શા માટે?
જડ અને સંવેદનશીલ તંત્રની કાર્યદક્ષતા અને સુદૃઢતા માટે નાગરિક સભાન બનવો જોઈએ. જાગ્રત
લોકો જ પારદર્શક અને શુદ્ધ વહીવટના સંત્રી છે. તંત્ર જવાબદાર અને પારદર્શક ત્યારે બને જ્યારે લોકોને તંત્રની કાર્યવિધિની જાણકારી હોય. ન્યાયપૂર્ણ વ્યવહાર અને નિષ્ઠા દ્વારા તંત્ર નાગરિકોમાં વિશ્વાસ પ્રગટાવી શકે છે. લોકજાગૃતિ દ્વારા, લોકભાગીદારી મેળવીને ગુનાઓને નિવારી શકાય છે.
પોલીસ શી શી સેવાઓ આપે છે
કાયદો અને વ્યવસ્થા તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે, ગુનાઓ અટકાવવાની તથા શોધવાની, ગુનાઓ નોંધવાની, તપાસવાની, આરોપીને અટક કરવાની અને તેમની સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણ આપે છે. પૂર, વાવાઝોડું, આગ,
ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી ઘટનાઓ તથા બીજી આફતો વેળાએ પબ્લિકને મદદ કરવાની.
લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે
ટેલિફોનથી તરત મદદ માટે કે અન્ય માહિતી આપવા માટે લોકો પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી કન્ટ્રોલમાં
નોંધ કરાવી શકે છે. પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને જાણ કરે છે. રૂબરૂમાં સતત ૨૪ કલાક કે ૩૬૫ દિવસ સુધી મળી શકે છે. ઈ-મેઇલ કે વેબસાઇટ દ્વારા સતત ૨૪ કલાક સેવા આપે છે.
લોકો પોલીસ પાસે કઈ કઈ અપેક્ષાઓ રાખી શકે
-
લોકો કોઈ બનાવ ઘટ્યાની નોંધ કરાવવા પોલીસ સ્ટેશનનો ટેલિફોનથી સંપર્ક કરે ત્યારે
૬0 સેકન્ડની અંદર તેનો જવાબ આપશે.
-
પોલીસની હાજરી જરૂર હોય તેવા તમામ કિસ્સામાં ત્રીસ મિનિટ પહેલાં જવાબ આપશે.
-
હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના પોલીસ અધિકારી અરજદાર/ફરિયાદીની ફરિયાદ નોંધવા તેમના ઘરની મુલાકાત લેશે.
-
મુલાકાત લેવાની જરૂરિયાત ન હોય પણ બનાવની નોંધ કરાવવાની હોય તો પોલીસ સ્ટેશન ખાતે નોંધાશે.
-
અરજીની તપાસ ત્રણ દિવસમાં પૂરી કરાશે.
-
અરજીની તપાસ હેડ કોન્સ્ટેબલ કે ઉપરના અધિકારી તરત જ કરશે. અરજી તપાસના કામે કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશને બોલાવવામાં નહીં આવે.
-
કુટુંબના ઝઘડામાં, લગ્નજીવનના ઝઘડામાં, મહિલા સુરક્ષા સમિતિ દ્વારા સમજાવટથી કામ લેવાશે. મહિલાને માનસિક, શારીરિક ત્રાસ હોય તો
ઇન્ડિયન પિનલ કોડ કલમ ૪૯૮(અ) હેઠળ ગુનો બને.
-
પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઇન્ક્વેસ્ટ વગેરેની ખરી નકલ નક્કી કરેલ દરે
ત્રણ દિવસની અંદર અપાશે.
-
લોકો પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરાવવા આવે ત્યારે ફરિયાદ લેવાશે, ગુપ્તતા જળવાશે ત્વરિત અને હકારાત્મક કાર્યવાહી કરાશે. અધિકારી દ્વારા વિલંબ થશે તો તેનાં કારણો અપાશે.
-
નાગરિક અધિકારપત્રમાં દર્શાવેલા લોકોના અધિકાર પ્રત્યે પોલીસ સંવેદનશીલ અને હકારાત્મક બનશે, નમ્ર અને વિવેકી બનશે, લોકોને પોલીસના વર્તન અંગે કોઈ ફરિયાદ હોય તો નાયબ પોલીસ અધીક્ષક કે પોલીસ અધીક્ષક પાસે કરી શકશે.
-
લોકભાગીદારી દ્વારા ગુનાઓના નિવારણ માટે દરેક ગામમાં ''સેવાદળ''ની રચના કરશે. સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એસોસિયેશનો વગેરેનો સહયોગ લેવાશે.
-
ગુના નિવારણ માહિતી મળે તેની ૩૦ મિનિટમાં ગુનાવાળી જગ્યાએ પોલીસ પહોંચશે અને ટેલિફોન ઉપર માહિતી અપાય તેમાં પગલાં લેવામાં આવશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે.
-
કાયદો અને વ્યવસ્થાની હાજરીમાં મેળા, ઉત્સવ, જાહેર સમારંભોને વિનામૂલ્યે બંદોબસ્ત પૂરો પાડશે.
-
ખાનગી સમારંભોમાં નાણાં વસૂલ લઈ બંદોબસ્ત આપશે.
પોલીસ રક્ષણ
કોમી બનાવોમાં લઘુમતી કોમના લોકોને રક્ષણ આપશે. પાકનાં ભેલાણ અટકાવવા માટે ઘોડેસવાર પોલીસની મદદ આપશે. કોઈ પણ નાગરિકને સ્વખર્ચે પોલીસ રક્ષણની જરૂરિયાત હોય તો આપવામાં આવશે.
ટ્રાફિક
રોડ અકસ્માતની જાણ થતાંની સાથે ૧૫ મિનિટમાં બનાવવાળા સ્થળે પહોંચવામાં આવશે અને
ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી મેડિકલ સારવાર માટે મદદ કરશે. વીમા માટે જરૂરી દસ્તાવેજોની નકલો ત્રણ દિવસમાં આપશે.
આગ, પૂર કે હોનારત :- રેસ્ક્યુ અને રિલીફ ઓપરેશન ટીમ ત્વરિત કાર્યવાહી હાથ
ધરશે.
ગુનાની નોંધણી અને તપાસ અંગે કયા અધિકારો છે ?
-
કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. તેની નકલ ફરિયાદીને વિનામૂલ્યે ત્રણ કલાકની અંદર આપવામાં આવશે.
-
સ્થળ અને કાર્યક્ષેત્રના કોઈ પણ બંધન વિના ફરિયાદ નોંધવામાં આવશે.
-
ગુનાના સાક્ષીઓને તેના ઘરે તપાસવામાં આવશે. ગુનાનો ૬૦ દિવસમાં અને ગંભીર પ્રકારના ગુનાઓનો ૯૦ દિવસની અંદર નિકાલ કરવામાં આવશે. જો તપાસમાં વધુ સમય લાગે તેમ હોય તો ફરિયાદીને તે અંગેની જાણ કરશે.
-
ખોવાયેલાં બાળકો, વ્યક્તિઓને શોધવા માટે તમામ જરૂરી પ્રયત્નો કરશે.
-
પંદર વર્ષથી નીચેનાં બાળકોને, વૃદ્ધોને, મહિલાઓને, માંદા માણસોને શક્ય બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં.
-
કોર્ટમાંથી મિલકતનો કામચલાઉ કબજો અપાવવા ફરિયાદીને જરૂરી ને મદદરૂપ બનશે.
-
તપાસ કયા તબક્કામાં
છે તેની જાણ ફરિયાદીને કે ભોગ બનનારને કરાશે.
-
મહિલાને સૂર્યાસ્ત અને સૂર્યોદય
વચ્ચે અટક કરી શકાશે નહીં.
-
મહિલાની અટક કે ઝડતી કે એસ્કોર્ટ
મહિલા પોલીસ દ્વારા જ કરાશે.
-
મહિલાની પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવે ત્યારે તેનાં સગાંને તેની સાથે રહેવા દેવાની છૂટ અપાશે.
-
બાળગુનેગારોને પોલીસ લોકઅપમાં ન મૂકી શકાય. તેમને અટક કર્યા બાદ સુધારણા ગૃહોમાં કે સલામત સ્થળે ત્વરિત મોકલાશે.
-
દરેક અટકાયતીને હાથકડી પહેરાવી શકાય નહીં, સિવાય કે જરૂર જણાયે હાથકડી પહેરાવી શકાય.
-
આરોપીઓ સાથે ગેરકાયદે પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં.
-
જામીનલાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જામીન આપે તો તેને જામીન ઉપર છોડવો.
-
જરૂરિયાત મુજબ સાક્ષીઓને જરૂરી પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે.
-
કેસ પૂરો થાય તેવા
કિસ્સામાં કોર્ટમાંથી મિલકત પરત સોંપવામાં ફરિયાદી/ ભોગ બનનારને પોલીસ મદદ કરશે.
-
કેસ કોર્ટમાં કયા તબક્કામાં છે તેની જાણ પોલીસ ફરિયાદીને કરશે.
-
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કરશે અને અત્યાચારનો ભોગ બનેલી વ્યકિત કે સમૂહને પોલીસ રક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.
-
૧૬ વર્ષથી નીચેની બાળાને ભગાડી જવાના કેસની તપાસ પોલીસ
ઇન્સ્પેક્ટર કરશે.
-
દહેજ મૃત્યુ તથા બળાત્કારના કિસ્સામાં સાબિતીનો બોજો આરોપીઓ ઉપર છે.
-
સ્ત્રીધન પરત ન રહે કે વાપરવા ન દે તો
ઇન્ડિયન પિનલ કોડ ક. ૪૦૬ હેઠળ ગુનો બનશે.
-
લગ્નજીવનનાં ૧૦ વર્ષની અંદર પરિણીત મહિલાના શંકાસ્પદ મૃત્યુની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કરશે અને પોસ્ટમોર્ટમ
ડોક્ટરોની
પેનલ કરશે. ભોગ બનનાર મહિલાનું મરણોત્તર નિવેદન એક્ઝિક્યુટિવ
મેજિસ્ટ્રેટ લેશે.
દિલગીર છીએ, પોલીસના કાર્યક્ષેત્રમાં આ નથી આવતું
-
કોર્ટ આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોંપે તો મિલકત રિકવર થઈ શકે નહીં.
-
આરોપી સાથે ગેરકાનૂની પદ્ધતિનો
ઉપયોગ કરી શકાય નહીં.
-
નાણાં, ચીટફંડ કે પરત ફરેલ ચેકના ગુનાઓમાં નાણાં રિકવર કરી શકાય નહીં.
-
જમીન, મકાન, ભાડૂતના ઝઘડામાં સમાધાન કરાવી શકાય નહીં.
-
નોન કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ રજિસ્ટર કરી શકાય નહીં,
પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહીં.
-
આરોપીની ઉતાવળથી અટક કરી શકાય નહીં.
-
દહેજની રકમ પરત કરાવવા માટે મદદ થઈ શકે નહીં.
-
માર્ગ અકસ્માતના ગુનાઓમાં ભોગ બનનાર કે તેનાં સગાંને વળતર આપવા માટે વાહનના માલિક કે ડ્રાઇવર ઉપર દબાણ કરી શકાય નહીં.
|